ચમત્કારોનો દિવસ

ચમત્કારોનો દિવસ

સારાંશ

વિમલ અને તેની પત્ની વચ્ચેના તણાવપૂર્ણ સંબંધ વધુ ખરાબ થઈ રહ્યા હતાં. પરંતુ એક દિવસે, તેણે સાબ્બાથ વિશે જાણ્યું, જે સર્જનહાર ઈશ્વરના માનમાં એક વિશેષ પવિત્ર દિવસ છે. તેણે પ્રભુ ઈસુનું પુસ્તક વાંચવાનું શરૂ કર્યું અને દર અઠવાડિયે સાબ્બાથ દિવસ પાળવાનું શરુ કર્યું. ધીરે-ધીરે, વિમલનો ગુસ્સો ઓછો થવા લાગ્યો, અને તેના લગ્નજીવનમાં કંઈક ખાસ બનવાનું શરૂ થયું.

પ્રકાર

Tract

પ્રકાશક

Sharing Hope Publications

માં ઉપલબ્ધ

22 ભાષાઓ

પૃષ્ઠો

6

ડાઉનલોડ

વિમલે તેની ઓટો-રિક્ષા રસ્તાની એકબાજુ લઈ લીધી. આખા દિવસમાં તેને ઘણા ગ્રાહકો મળ્યા હોવા છતાં, તે ખુશ ન હતો. તે પોતાના લગ્ન વિશે વિચારવાનું રોકી શકતો ન હતો. તે ભંગીત થઈ રહ્યો હતો!

તે તેની પત્ની સીમાને પ્રેમ કરતો હતો - પરંતુ તે પોતાને દર થોડા દિવસે તેની પત્નીને મારતા અટકાવી શકતો ન હતો. તેણી એ તેને ખૂબ ગુસ્સે કર્યો. તે તેવું કરવા માંગતો ન હતો, પરંતુ બસ તેવું થઈ ગયું.

ધાર્મિક વિધિઓ દરમિયાન સીમા આત્માઓને કબજે થઈ જશે અને જંગલી રીતે નૃત્ય કરશે, તેના શરીરનું નિયંત્રણ ગુમાવશે અને પોતાનાં કપડાં ફાડી નાખશે. તે જે રીતે પોતાની જાત પરનો કાબૂ ગુમાવતી તે વિમલને ગમતું ન હતું. તેણે તેની પત્નીને ધાર્મિક વિધિઓમાં જવાનું બંધ કરવા કહ્યું, પરંતુ તેણે સાંભળ્યું નહીં. તે ફાટેલા કપડાં સાથે અને તેના ચહેરા પર પ્રાણીઓના બલિદાનનું લોહી લઈને ઘરે પહોંચતી, અને વિમલ ગુસ્સે થઈને તેને મારતો.

સીમા બે વખત ગર્ભવતી બની હતી પરંતુ તેની ઉન્મત્ત ધાર્મિક વિધિઓને લીધે તેની કસુવાવડ થઈ ગઈ. તે વધુ ને વધુ જીદ્દી બનતી ગઈ અને વિમલ ગુસ્સાવાળો, હતાશ અને દોષિત બની ગયો.

વધુ સારી રીત

જ્યારે વિમલ તેની ઓટો-રિક્ષામાં બેઠો, ત્યારે તેણે વધુ સારી રીતની તીવ્ર ઈચ્છા વ્યક્ત કરી. અચાનક, તેણે રસ્તાની નજીકની એક ઈમારતમાંથી અવાજો સાંભળ્યા. અંદર બાળકો અને પુખ્ત વયના લોકો હતા, અને કોઈ વાર્તા કહી રહ્યું હતું અને તેઓ સાંભળી રહ્યા હતા.

વાર્તાકારે એક એવા માણસ વિશે વાત કરી જે તેની મુશ્કેલીઓથી નાસી રહ્યો હતો. તેણે તેના જોડિયા ભાઈને દગો આપ્યો હતો અને તેને એટલી ખરાબ રીતે નુકસાન પહોંચાડ્યું હતું કે તેને પોતાના જીવનો ડર હતો. ભાગતાં ભાગતાં તે સૂવા માટે અરણ્યમાં રોકાઈ ગયો. પથ્થરને ઓશીકું બનાવવા સિવાય તેની પાસે પોતાને આરામદાયક બનાવવા માટે કંઈ નહોતું. તેને એકલતાનો અનુભવ થયો અને તેણે પોતાના પરિવારને તોડવા માટે જે પણ કર્યું તેના માટે પસ્તાવો થયો.

વિમલે ધ્યાનથી સાંભળ્યું. તે જાણતો હતો કે આ માણસે કેવું અનુભવ્યું હશે.

વાર્તાકાર આગળ વધ્યો. જ્યારે તે માણસ સૂતો હતો, ત્યારે તેને એક સ્વપ્ન આવ્યું. તેણે સ્વર્ગ સુધી જતી એક સીડી જોઈ. દૂતો સીડી ચઢ્તા અને નીચે ઉતરતા, જાણે કે આ ઉદાસ, ભંગીત માણસ માટે આશીર્વાદ લાવી રહ્યા હોય. જ્યારે તે જાગ્યો, ત્યારે તેને આનંદ થયો. તેણે ઓશીકા તરીકે જે પથ્થર વાપર્યો હતો તેનાથી તેણે તેના પ્રભુ માટે એક સ્મારક બનાવ્યું. સીડીના સંદર્શને તેને ફરી એકવાર પ્રભુ સાથે જોડાયેલા હોવાનો અનુભવ કરાવ્યો, અને તે જાણતો હતો કે બધું બરાબર થઈ જશે.

એક નવું પુસ્તક

લોકો ચાલ્યા ગયા ત્યારે વિમલ સંકોચ સાથે ઈમારતમાં પ્રવેશ્યો.

“સાબ્બાથની શુભકામના,” વાર્તાકારે તેને શુભેચ્છા પાઠવી.

“સાબ્બાથ શું છે?” વિમલે જિજ્ઞાસાપૂર્વક પૂછ્યું.

“આપણે સર્જનહારની આરાધના કરીએ છીએ,” વાર્તાકારે જવાબ આપ્યો. “અને તે આપણને અઠવાડિયાના સાતમા દિવસે, સાબ્બાથ પર આરાધના કરવાનું કહે છે, કારણ કે તેમણે છ દિવસમાં વિશ્વનું સર્જન કર્યું છે. જેમ તે માણસના સ્વપ્નમાં સીડીએ સ્વર્ગ અને પૃથ્વીને જોડ્યા હતાં, તેમ સાબ્બાથ એ એક સાપ્તાહિક પવિત્ર દિવસ છે જે આપણને પ્રભુ સાથે જોડે છે. જ્યારે આપણે આ દિવસે આરાધના કરીએ છીએ, ત્યારે આપણે સર્જનહાર પ્રત્યેની આપણી ભક્તિ દર્શાવીએ છીએ અને તેમના આશીર્વાદ મેળવીએ છીએ.”

જોડિયા ભાઈઓની વાર્તા વિમલના હ્રદયને સ્પર્શી ગઈ હતી. “તમને તે વાર્તા ક્યાંથી મળી?”

“તે પ્રભુ ઇસુ ખ્રિસ્તનાં પુસ્તક બાઈબલમાં છે,” વાર્તાકારે અલમારીમાંથી તે પુસ્તક લીધું અને વિમલને આપ્યું. “તમે આમાં તે વાર્તા વાંચી શકો છો.”

વિમલે એ માણસનો આભાર માન્યો અને પોતાનું નવું પુસ્તક લઈને ઘરે ગયો. વાંચવાથી તેને શાંતિનો અનુભવ થયો અને પછીના શનિવારે તે પાછો ફર્યો. જ્યારે તે શાંતિથી બેઠો અને સર્જનહારના પવિત્ર દિવસે પ્રભુને પ્રાર્થના કરી, ત્યારે તેના હૃદયમાં કંઈક અદ્ભૂત અનુભવ થવા લાગ્યો.

એક બદલાયેલ વ્યક્તિ

એક દિવસ, જ્યારે વિમલે તેનું નવું પુસ્તક વાંચ્યું, ત્યારે તેને એક કલમ મળી જેમાં લખ્યું હતું, “શું તમે જાણો છો કે તમે પોતે જ દેવનું મંદિર છો, અને દેવનો આત્મા તમારામાં વાસ કરે છે?” (૧ કરિંથીઓને પત્ર ૩:૧૬). તેના મગજમાં અચાનક ઝબકારો થયો. કેમ કે આ શરીર પ્રભુનું મંદિર છે, તેણે વિચાર્યું, કોઈને પણ તેને નુકસાન પહોંચાડવાનો અધિકાર નથી. મારે હવે મારી પત્નીને મારવી જોઈએ નહીં.

તેણે ભૂતકાળમાં ઘણી વાર પોતાને રોકવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ આ વખતે તે ખરેખર કામ કરી ગયું. તે જાણતો હતો કે બાઇબલ વાંચવાથી અને સાબ્બાથના દિવસે આરાધના કરવાથી તે સર્જનહાર સાથે જોડાયો હતો, જેમણે તેનાં હૃદય પરિવર્તનમાં મદદ કરી હતી. એવું લાગ્યું કે જાણે કોઈ દૈવિય હાથે તેની છાતીમાંથી પથ્થરનું હૃદય કાઢી લીધું અને તેની જગ્યાએ એક દયાળુ હૃદય મૂકી દીધું.

પુનર્મિલન!

ઘણા વર્ષો સુધી, વિમલે પવિત્ર સાબ્બાથના દિવસે સર્જનહારની આરાધના કરવાનું ચાલુ રાખ્યું. ધીરેથી સીમાએ તેના પતિમાં પરિવર્તન જોયું. હવે તેનો પતિ તેને મારતો ન હતો. તેના બદલે, તે નમ્રતા અને દયા દર્શાવતો હતો.

અત્યાર સુધી સીમા ખૂબ થાકી ગઈ હતી અને હતાશ થઈ ચૂકી હતી. તેણે નોંધ્યું કે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું પુસ્તક વાંચીને અને શનિવારે તેમની આરાધના કરીને ઘરે પાછા ફર્યા પછી વિમલ હંમેશા ખૂબ જ શાંત રહેતો હતો. છેવટે, જ્યારે વિમલે તેને પૂછ્યું કે શું તે તેની સાથે જવા માંગે છે, ત્યારે તે સંમત થઈ ગઈ.

વિમલ કહે છે, “સાબ્બાથ આપણાં પરિવાર માટે ખાસ પવિત્ર દિવસ છે. તે એક એવો દિવસ છે જ્યારે પ્રભુ તેમની સાથે જોડાવા માટે આપણને તેડું આપે છે. જ્યારે આપણે આ રીતે તેમની સાથે જોડાઈએ છીએ, ત્યારે તેઓ ચમત્કારો કરે છે. હું મારી પત્નીને સમજું છું અને આજે મારું લગ્નજીવન સુખી છે કારણ કે હું દરરોજ અને ખાસ કરીને સાબ્બાથના દિવસે સર્જનહારની આરાધના કરતા શીખ્યો છું. સાબ્બાથનો આશીર્વાદ આપણને પ્રભુની અને એકબીજાની નજીક લાવે છે.”

આજે, વિમલ અને સીમા બે પુત્રો સાથે સુખી લગ્નજીવન જીવી રહ્યા છે. તેઓ તેમના બધા પડોશીઓને સાબ્બાથના દિવસના આશીર્વાદ વિશે જણાવે છે.

જો તમે સાબ્બાથ વિશે વધુ જાણવા માંગતા હો કે બાઇબલ મેળવવા ઈચ્છતા હો, તો કૃપા કરીને આ કાગળની પાછળ આપેલી માહિતી પરથી અમારો સંપર્ક કરો.

Copyright © 2023 by Sharing Hope Publications. બિન-વ્યાવસાયિક હેતુઓ માટે કાર્યને પરવાનગી વગર પ્રિન્ટ અને શેર કરી શકાય છે. સ્ક્રિપ્ચર ગુજરાતી બાઇબલમાંથી લેવામાં આવ્યું છે.

Copyright © 2017 Bridge Connectivity Solutions. પરવાનગી દ્વારા ઉપયોગ થયેલ છે. બધા હકો અમારી પાસે રાખેલા છે.

અમારા સમાચારપત્ર માટે સાઇન અપ કરો

જ્યારે નવા પ્રકાશનો ઉપલબ્ધ થાય ત્યારે, તેના પહેલાં જાણકાર બનો!

newsletter-cover